ભક્તરાજ જીવુબા

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૧૨૨. એેકાએક ઓરડો તેજથી ભરાઇ ગયો.મૂર્તિમાંથી ભગવાન ચર્તુભુજ રૂપે પ્રગટ થયા.જીવુબાએ ધરેલું દૂધ આરોગવા લાગ્યા.

૧૨૩. જીવુબા ગઢપુરના દરબાર એભલખાચરના પુત્રી હતા.સંવત ૧૮૪૧માં એમનો જન્મ થયો હતા.એભલ ખાચરના સંતાન જીવતા ન હતા તેથી આ પુત્રીનું નામ જીવુબા રાખ્યું હતું.વળી સૌથી મોટા દીકરી એટલે સૌ તેમણે મોટીબા પણ કહેતા.એમનો જન્મ પૂનમના દિવસે થયો હતો તેથી પૂનમતિ બા પણ એમને કહેતા અને જયા પણ કહેતા.

૧૨૪. બાળપણથી જ એમનુ જીવન ભકિતમય હતું.તપ કરવાની રુચિ પણ ઘણી.એટલે ભગવાનમાં જ અખંડ જોડવા ખટરસનો પણ ત્યાગ કર્યો હતો.જમીન પર સૂવું,પુરુષમાત્રથી પંદર હાથ દૂર રહેવું.

૧૨૫. એભલ ખાચરે કુંડળના અમરા પટગરના દીકરા હાથિયા પટગર સાથે જીવુબાને પરણાવ્યાં.

૧૨૬. પોતાના દેહના ધણી હાથિયા પટગરની રજાચિઠ્ઠી લઇ જીવુબા ગઢડે આવ્યા.

૧૨૭. (મહારાજને દરબારમા લઇ જવા)જીવુબા પોતાની સાથે દોણી અને કપડા લાવેલા.ગામની બીજી સ્ત્રીઓ સાથે મહારાજ પણ મહિયારીના વેશમાં દાખલ થઇ ગયા.

૧૨૮. એક વખત જીવુબા રથમાં બેસીને કારીયાણીથી ગઢપુર આવતા હતા.થોડે દૂર એક સંતને ઝાડ નીચે બેઠેલા દેખાયા.જીવુબાએ રથ હાકનારને સંત પાસે મોકલ્યા.પૂછપરછ કરતાં ખબર પડી કે અખંડાનંદ સ્વામીને હાથઘોણું થઇ ગયા છે.ચાલવાની શકિત રહી નથી.

૧૨૯. જીવુબાએ એમને સાંખ્યધર્મ સમજાવી નર્કની કોથળીરૂપ સ્વરૂપનું ભાન કરાવ્યું.આથી લાડું બારોટને એકદમ ઊલટી જેવું થઇ ગયું હતું.

૧૩૦. સંવત ૧૯૧૬ના જેઠ સુદ ૬ને દિવસે મહારાજનું અખંડ સ્મરણ કરતા જીવુબા ધામમાં પધાર્યા.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...