ઘનશ્યામ ચરિત્ર - ૪૧ થી ૪૭

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૪૧.આંધળાને દેખતો કર્યો

૧૩૭. “ કથામાં પ્રશ્ન પૂછો તો કથામા ખલેલ પડે.” માટે કથામા પ્રશ્ન પૂછશો નહિ.મારે ઘેર આવીને પૂછજો. હું બધા જવાબ આપીશ.”

કોણ બોલે છે : વ્રજવિહારી બ્રાહ્યણ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે ધનશ્યામને વનમાં તપ કરવા જવનાનો વિચાર હતો આથી તેમણે કથા બંધ રખાવી વૈરાગ્ય સંબંધી પ્રશ્નો પૂછયા ત્યારે.

૧૩૮. “ તમે ઘનશ્યામ પાસે જાઓ.તેમના આશીર્વાદ લો.ઘનશ્યામ બહુ ચમત્કારિક છે.એ તો ભગવાન છે.”

કોણ બોલે છે : ભકતો

કોને કહે છે : વ્રજવિહારી બ્રાહ્યણને

કયારે કહે છે : જયારે ધનશ્યામને વનમાં તપ કરવા જવાનો વિચાર હતો આથી તેમણે કથા બંધ રખાવી વૈરાગ્ય સંબંધી પ્રશ્નો પૂછયા ત્યારે બ્રાહ્મણે ખલેલે પહોચે છે એમ કહ્યું ત્યારે.

૧૩૯. “ ઘનશ્યામને ઉદાસ ન કરશો.”

કોણ બોલે છે : ભકતો

કોને કહે છે : વ્રજવિહારી બ્રાહ્યણને

કયારે કહે છે : જયારે ધનશ્યામને વનમાં તપ કરવા જવનાનો વિચાર હતો આથી તેમણે કથા બંધ રખાવી વૈરાગ્ય સંબંધી પ્રશ્નો પૂછયા ત્યારે બ્રાહ્મણે ખલેલે પહોચે છે એમ કહ્યું ત્યારે તે ઉદાસ થઇને જતા રહ્યા ત્યારે.

૧૪૦. “ તમે તો ભગવાન છો, તમે ચમત્કારિક છો.મને આધળાને દેખતો કરો.હું ભગવાનનું ભજન કરીશ. પૂજા કરીશ. કથા વાચ્યાં કરીશ. મારો ગરીબનો ઉદ્ધાર કરો.માટે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને દેખતો કરો.”

કોણ બોલે છે : વ્રજવિહારી બ્રાહ્યણ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઇ અને તેને માફી માંગી ત્યારે

૪૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ

૧૪૧. “ મને રોગ વધતો જાય છે આખા શરીરમાં પીડા થાય છે હવે હું વધારે વખત જીવીશ નહિ રામપ્રતાપ તથા સુવાસિની, તમે ઘનશ્યામ અને ઇરછારામને સાચવજો.ધનશ્યામ અને ઇરછારામ, તમે મોટાભાઈ અને સુવાસિની ભાભીની આજ્ઞામાં રહેજો, સંપથી રહેજો.”

કોણ બોલે છે : ભકિતમાતા

કોને કહે છે : ત્રણેય પુત્રોને

કયારે કહે છે : જયારે ભકિતમાતાનો અંતિમ સમય હતો ત્યારે.

૧૪૨. “ ધનશ્યામ તો ભગવાન છે વળી, ઉદાસી મનવાળા છે માટે તેમને હંમેશાં લાડથી રાખજો કયારેય કડવું વેણ કહેતા નહિ મારી માફક જ ઘનશ્યામ અને ઇરછારામની સંભાળ લેજો અને તમે બંને નાના ભાઈઓ, મોટા રામપ્રતાપની આજ્ઞામાં રહેજો.આટલું મારું વચન હંમેશાં પાળજો.”

કોણ બોલે છે : ધર્મદેવ

કોને કહે છે : રામપ્રતાપભાઇને

કયારે કહે છે : જયારે ભકિ ધર્મદેવનો અંતિમ સમય હતો ત્યારે.

૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ

૧૪૩. “ અમારા પુત્રોને વગર વાંકે તમારા ધનશ્યામે માર્યા છે.”

કોણ બોલે છે : મલ્લોના માતાપિતા

કોને કહે છે : રામપ્રતાપભાઇને

કયારે કહે છે : જયારે ઘનશ્યામે મલ્લોને માર્યા અને હવામાં ગોળગોળ ફેરવીને પછાડયા

૧૪૪. “ મોટાભાઈ ! આજ પછી મારી કોઈ ફરિયાદ નહિ આવે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : રામપ્રતાપભાઇને

કયારે કહે છે : જયારે મલ્લોના માતાપિતાએ રામપ્રતાપભાઇને ફરિયાદ કરી ત્યારે રામપ્રતાપભાઇને થયું કે આવી ફરિયાદો રાજ આવશે તો ખોટું દેખાશે એટલે તેમણે ધનશ્યામને ઠપકો આપ્યો પછી

૪૭. ભાભીનો વિલાપ

૧૩૮ “ ઘનશ્યામ કયાં છે ? તમે એમને જોયા છે ?કેમ હજી ઘેર નથી આવ્યા ? તમને ખબર છે, કયા ગયા છે?”

કોણ બોલે છે : સુવાસીનીભાભી

કોને કહે છે : બાળમિત્રોને

કયારે કહે છે : બપોર થઇ પણ ધનશ્યામ ધરે ના આવ્યા એટલે સુવાસીનીભાભીએ બધા બાળમિત્રોને ધરે બોલાવ્યા ત્યારે.

૧૪૫. “ અમને ખબર નથી અને આજે સવારે નાહવા ગયા ત્યારે. નદી કિનારે નહોતા અમારી સાથે નાહવા નથી આવ્યા.”

કોણ બોલે છે : બાળમિત્રો

કોને કહે છે : સુવાસીનીભાભીને

કયારે કહે છે : બપોર થઇ પણ ધનશ્યામ ધરે ના આવ્યા એટલે સુવાસીનીભાભીએ બધા બાળમિત્રોને ધરે બોલાવ્યા અને ધનશ્યામ અંગે પૂછપરછ કરી ત્યારે.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...