નીલકંઠ ચરિત્ર - ૨૧ થી ૩૦

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો. 

૧. નવ લાખ યોગીઓનો ઉદ્ધાર

૭૫. “તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો તેમના તમને સાક્ષાત્ દર્શન થશે પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર અવતાર લીધો છે તમારું સૌનું કલ્યાણ કરવા પોતે આવીને તમને દર્શન દેશે.”

કોણ બોલે છે: આકાશવાણી

કોને કહે છે: સિદ્વોને

કયારે કહે છે: જયારે નવલાખ સિદ્વો હજારો વર્ષથી તપ કરતા હતા અને એકદિવસ સવારે તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે.

૭૬. “કાલે પ્રાત:કાળે તમને સૌને સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણની નીલકંઠ વર્ણી રૂપે દર્શન થશે તેમનાં દર્શનમાત્રથી તમારો મોક્ષ થશે અક્ષરધામની પ્રાIાત થશે.”

કોણ બોલે છે: આકાશવાણી

કોને કહે છે: સિદ્વોને

કયારે કહે છે: જયારે નીલકંઠ ચાલતાં ચાલતાં નવલખા પર્વતની તળેટીમાં પહોંચ્યા તેમણે

પર્વત પર ચઢવાનું શરૂ કર્યું ત્યારે.

૭૭. “હે નીલકંઠ પ્રભુ ! આપે દર્શન આાયાં છે માટે દયા કરીને અમારા અંતરમાં સદાય નિવાસ કરીને રહો આપની મૂર્તિઅંતરમાંથી જાય નહિ, એવી હે અક્ષરાધિપતિ, તમને વિનંતી કરીએ છીએ.”

કોણ બોલે છે: સિદ્વો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નવ લાખ યોગીઓએ નીલકંઠને ત્રણે દિવસ સાથે

રાખ્યા સેવા કરી પ્રસન્ન કર્યા ત્યારે.

૨૨. ધર્મનો ઉપદેશ

૭૮. “અહીં જાગીજતિને રહેવાનું કોઈ સ્થાન છે?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: કેટલાક લોકોને

કયારે કહે છે: જયારે નીલકંઠ દક્ષિણ તરફ ચાલ્યાં ચાલતા ચાલતા સાંજ પડી એક ગામ આવ્યું ગામને ચોરે કેટલાક લોકો બેઠેલા હતા તેમને જોઇને ત્યાં રોકાવાના આશ્રયથી.

૭૯. “અહીં વાણિયાંના ધરની સામે બાવાઓનું રામજી મંદિર છે ત્યાં સૌં સાધુ-સંતોને ઉતારો મળે છે માટે તમે ત્યાં જાઓ.”

કોણ બોલે છે: કેટલાક લોકો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ દક્ષિણ તરફ ચાલ્યાં ચાલતા ચાલતા સાંજ પડી એક ગામ આવ્યું ગામને ચોરે કેટલાક લોકો બેઠેલા હતા તેમને જોઇને ત્યાં રોકાવાના આશ્રયથી તેમણે પૂછયું અહીં જાગીજતિને રહેવાનું કોઈ સ્થાન છે? ત્યારે.

૮૦. “રામાયણની કથા કરો છો અને ધર્મ કેમ નથી પાળતા ? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય ત્યાગી સાધુએ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવો જોઈએ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણીને

કોને કહે છે: બાવાઓે

કયારે કહે છે: જયારે રામજી મંદિરમાં સંધ્યા આરતી થઈ પછી મંદિરમાં રામાયણની કથા શરૂ થઈ ગામનાં સ્ત્રી-પુરૂષો આવીને એકબીજાની બાજુમાં ભેગાં કથા સાંભળવા બેસી ગયાં નીલકંઠે જોયું કે સ્ત્રી-પુરૂષો મંદિરમાં ભેગા બેસે છે તેમને આ ન ગમ્યું કથા પૂરી થઈ એટલે બાવાના ચરણનો સ્પર્શ કરીને સૌં જવા લાગ્યાં કેટલીક સ્ત્રીઓ નીલકંઠના ચરણસ્પર્શ કરવા આવી નીલકંઠ ઊભા થઈને અંદર ઓરડીમાં જતા રહ્યા પછી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથપગ દાબવા તથા સેવા કરવા લાગી નીલકંઠને આ પણ જરાય ન ગમ્યું ત્યારે.

૮૧. 'છોકરા, કાલ સવારનો તું અમને ઉપદેશ કરનાર કોણ ? ભાગ અહીંથી, નહિ તો તને મારી કાઢીશું.

કોણ બોલે છે: બાવાઓે

કોને કહે છે: હનુમાનજીને

કયારે કહે છે: જયારે રામજી મંદિરમાં સંધ્યા આરતી થઈ પછી મંદિરમાં રામાયણની કથા શરૂ થઈ ગામનાં સ્ત્રી-પુરૂષો આવીને એકબીજાની બાજુમાં ભેગાં કથા સાંભળવા બેસી ગયાં નીલકંઠે જોયું કે સ્ત્રી-પુરૂષો મંદિરમાં ભેગા બેસે છે તેમને આ ન ગમ્યું વળી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથપગ દાબવા તથા સેવા કરવા લાગી નીલકંઠને આ પણ જરાય ન ગમ્યું આથી તેમણે બાવાને ઉપદેશ કરતાં કહ્યું કેરામાયણની કથા કરો છો અને ધર્મ કેમ નથી પાળતા ? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય ત્યાગી સાધુએ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવો જોઈએ ત્યારે.

૮૨. “તમે કોણ છો ? શા માટે અમને વગર વાંકે મારો છો ? અમારો શો વાંકગુનો છે

કોણ બોલે છે: બાવાઓે

કોને કહે છે: હનુમાનજીને

કયારે કહે છે: જયારે ત્યારે.

૮૩. “તમે નીલકંઠ બ્રહ્મચારીને શા માટે વગર વાંકે અહીંથી કાઢી મૂક્યા ? નીલકંઠ તો સાક્ષાત્ ભગવાન છે આ રામચંદ્રજીના મંદિરમાંથી તમે એમને કાઢી મૂક્યા શા માટે ? જાઓ નીલકંઠને પગે પડી તેમની માફી માગી માનપાન સાથે નીલકંઠને ફરી મંદિરમાં પધરાવો, તો તમને છોડીશ. નહીતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ.”

કોણ બોલે છે: હનુમાનજી

કોને કહે છે: બાવાઓેને

કયારે કહે છે: જયારે મંદિરમાંથી નીકળીને નીલકંઠ સામે વાણિયાના મકાનની ઓસરીમાં બેઠા

આથી પવનપુત્ર હનુમાન ત્યાં નીલકંઠ પાસે આવ્યા તેમણે જોયું કે નીલકંઠને અધર્મી બાવાઓએ કાઢી મૂક્યા છે, તેથી નીલકંઠને પગે લાગીને, ધોકો લઈને હનુમાનજી મંદિરમાં ગયા બધા બાવાઓને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા બાવાઓનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં ત્યારે.

૮૪. “તમે કહેશો એમ કરીશું પણ અમને મૂકી દો તમે કોણ છો, તે તો કહો.”

કોણ બોલે છે: બાવાઓે

કોને કહે છે: હનુમાનજીને

કયારે કહે છે: જયારે ધોકો લઈને હનુમાનજી મંદિરમાં ગયા બધા બાવાઓને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા બાવાઓનાં હાડકાં ખોખરાં કરી નાખ્ચાં ત્યારે બાવાઓએ પૂછયું તમે અમને કેમ મારો છો ત્યારે હનુમાનજીએ કહ્યું તમે નીલકંઠ બ્રહ્મચારીને શા માટે વગર વાંકે અહીંથી કાઢી મૂક્યા ? નીલકંઠ તો સાક્ષાત્ ભગવાન છે આ રામચંદ્રજીના મંદિરમાંથી તમે એમને કાઢી મૂક્યા શા માટે ? જાઓ નીલકંઠને પગે પડી તેમની માફી માગી માનપાન સાથે નીલકંઠને ફરી મંદિરમાં પધરાવો, તો તમને છોડીશ. નહીતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ ત્યારે.

૮૫. “હું અંજનીપુત્ર હનુમાન છું નીલકંઠ વર્ણીનો સેવક છું“

કોણ બોલે છે: હનુમાનજી

કોને કહે છે: બાવાઓેને

કયારે કહે છે: જયારે બાવાએએ પૂછયું તમે કોણ છો ત્યારે.

૮૬. “અમે તેમને ન ઓળખી શકયા આપ તો સાક્ષાતત્ર્ રામચંદ્રજીનો અવતાર છો અમે આજથી સ્ત્રી અને ધનનો સ્પર્શ નહી કરીએ, સ્ત્રીઆને ઉપદેશ નહી કરીએ તમે કહેશો એમ કરીશું. પરંતુ તમારા આ સેવક હનુમાનજી પાસેથી એમને છોડાવો.”

કોણ બોલે છે: બાવાઓે

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે ધોકો લઈને હનુમાનજી મંદિરમાં ગયા બધા બાવાઓને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા બાવાઓનાં હાડકાં ખોખરાં કરી નાખ્ચાં ત્યારે બાવાઓએ બધી સ્ત્રીઆને કાઢી મૂકી. મદિરના દરવાજા ખોલી સામે વાણિયાની આસરીમાં જઈ નીલકંઠની માફી માગતા સમયે.

૨૩. નીલકંઠ જયરામદાસને ધરે

૮૭. “નીલકંઠ બાળબ્રહ્મચારી છે બહુ તેજસ્વી છે ઈશ્વરમૂર્તિ છે માટે આપણે ધરે જમવા બોલાવીએ.”

કોણ બોલે છે: બે પુત્રીઓ

કોને કહે છે: તેમના માતા-પિતાને

કયારે કહે છે: જયારે નીલકંઠ વણી જે ગામમાં ઉતર્યા હતા તે ગામમાં સંજોગી બાવાને એક પુત્ર અને બે દીકરીઓ હતી તેની બંને પુત્રીઓ નીલકંઠ ઊતર્યા હતા તે મંદિરમાં બાવા પાસે 'તુલસી રામાયણ" ભણવા આવતી. બાવો સવાર-સાંજ રામાંયણ વાંચી ભણાવતો. બંને છોકરીઓ કાંઈ

ન સમજાય તો બાવાને પૂછતી. બાવો અર્થ કરતો કાંઈ અધરો પ્રશ્ન આવે તો ગડબડગોટા વાળતો. નીલકંઠ આ બધું મૂંગે મોઢે સાંભળતા એક દિવસ બાવો રામાયણ સમજાવતો હતો. ત્યાં બંને છોકરીઓએ પ્રશ્ન પૂછચો. બાવો મૂંઝાયો. તેને અર્થ આવડચો નહિ.નીલકંઠે કહ્યું, 'મહંતજી, હું સમજાયું ?" બાવાએ હા પાડી પછી નીલકંઠે એક પછી એક એમ કેટલાય પ્રશ્નોના જવાબ અપ્યા બંને કન્યાઆ રાજી થતી ધરે ગઈ ધરે ત્યારે.

૮૮. “આ મારા પુત્ર જયરામદાસને આપની સેવામાં રાખીએ છીએ આપ અહી જ રહો.”

કોણ બોલે છે: જયરામદાસના માતા-પિતા

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠે એક પછી એક એમ રામાયણના કેટલાય પ્રશ્નોના જવાબ આપ્યા

કયારે કહે છે: જયારે નીલકંઠે એક પછી એક એમ રામાયણના કેટલાય પ્રશ્નોના જવાબ આપ્યા

બંને કન્યાઆ રાજી થતી ધરે ગઈ ધરે જઈને તેમણે તેમનાં માતા-પિતાને બધી વાત કરી અને કહ્યું, નીલકંઠ બાળબ્રહ્મચારી છે બહુ તેજસ્વી છે ઈશ્વરમૂર્તિ છે માટે આપણે ધરે જમવા બોલાવીએ." પુત્રીઓની વાત સાંભળીને માતા-પિતાને અત્યંત કુતૂહલ થયું તે જ સાંજે એ સંજાગી બાવો મંદિરમાં જઈને આગ્રહ કરીને નીલકંઠને પોતાના કૃષ્ણ મંદિરે લઈ આવ્યો એ બ્રાહ્મણની પત્ની અતિશય ભાવિક હતી. તેણે સુંદર મજાની રસોઈ બનાવી દૂધ, મલાઈ, માખણ, દહીં સાકરના કટોરા

ભરી મૂકવા નીલકંઠ જમી રહ્યા એટલે બ્રાહ્મણે આગ્રહ કરીને નીલકંઠને પોતાને ધરે

રોકાઈ જવા વિનંતી કરી ત્યારે.

૨૪. જાંબુવાનનું કલ્યાણ

૮૯. “જયરામ ! તુ આ કમળકાકડી રોજ કયાંથી લાવે છે?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જયરામને

કયારે કહે છે: જયરામદાસ નીલકંઠ માટે રોજ તે સરોવરમાંથી કમળકાકડી તોડીને લાવતો ત્યારે એક દિવસ પૂછતાં.

૯૦. “અહી એક સરોવર છે મારો મિત્ર કૃષ્ણ તંબોળી અને હું આ ફળ ત્યાંથી લઈ આવીએ છીએ.”

કોણ બોલે છે: જયરામ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીએ જયરામને પૂછયું કે તુ આ કમળકાકડી રોજ કયાંથી લાવે છે ત્યારે.

૯૧. “એમ! મને તારું સરોવર બતાવીશ? મારે તાજી કમળકાકડી આવી છે ચાલ, આપણે સરોવરમાં ફરીશું આનંદ કરીશું.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જયરામને

કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીએ જયરામને પૂછયું કે તુ આ કમળકાકડી રોજ કયાંથી લાવે છે ત્યારે જયરામે કહ્યું કે એક સરોવર છે ત્યાથી ત્યારે.

૯૨. “વર્ણીરાજ! દૂર ઝાડવા જોયાં? ત્યાં વિકરાળ પ્રાણીઓથી ભરપૂર વન છે રાતે મારા ધર સુધી વાવની ઝાડ અને સિંહની ગર્જના સંભળાય છે ત્યાં કોઈથી ન જવાય.”

કોણ બોલે છે: કૃષ્ણ તંબોળી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ અને જયરામદાસ સરોવર કાંઠે પહોંચ્યા કળા તંબોળીએ તરાપો તૈયાર રાખ્યો હતો.ત્રણે તરાપા પર બેસી ગયાં જયરામદાસે તરાપો ચલાવવા માંડચો. સાંજનું ટાણું એટલે ઠંડો પવન વાય તંબોળી વાતો કહેતો જાય અને ચાલતા તરાપામાંથી હાથ લાંબો કરે પાણીમાંથી કમળ ખેંચીને, કમળકાકડી તોડી તોડીને નીલકંઠને જમાડતો જતો હતો ત્યારે.

૯૩. “લાવો હલેસું, થોડીવાર હું તરાપો ચલાવું.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જયરામ અને કૃષ્ણ તંબોળીને

કયારે કહે છે: કૃષ્ણ તંબોળીએ જયારે વર્ણીને કહ્યું કે વર્ણીરાજ! દૂર ઝાડવા જોયાં? ત્યાં વિકરાળ પ્રાણીઓથી ભરપૂર વન છે રાતે મારા ધર સુધી વાવની ઝાડ અને સિંહની ગર્જના સંભળાય છે ત્યાં કોઈથી ન જવાય ત્યારે.

૯૪. “નીલકંઠ ! હવે ત્યાં નથી જવું.”

કોણ બોલે છે: જયરામ અને કૃષ્ણ તંબોળી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયરામ પાસેથી હલેસું લઈ નીલકંઠ તરાપો ચલાવવા લાગ્યાં પવનની દિશા બદલાઈ, નીલકંઠે ઝડપ વધારી તરાપાને સરોવરના સામે કાંઠે વન તરફ લીધો થોડીવારમાં પહોંચ્યા સામે કાંઠે, અને નીલકંઠ તો કૂદકો મારી કિનારા પર ઊતરી પડયા ત્યારે.

૯૫. “વર્ણીરાજ, વનમાં જવાય તેવું નથી જંગલી પશુઆનો બહુ ભય છે વળી, સાંજનું ટાણું છે એટલે પશુઓ પણ અહી સરોવર તરફ પાણી પીવા આવતાં હશે.”

કોણ બોલે છે: જયરામ અને કૃષ્ણ તંબોળી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયરામ પાસેથી હલેસું લઈ નીલકંઠ તરાપો ચલાવવા લાગ્યાં પવનની દિશા બદલાઈ, નીલકંઠે ઝડપ વધારી તરાપાને સરોવરના સામે કાંઠે વન તરફ લીધો થોડીવારમાં પહોંચ્યા સામે કાંઠે, અને નીલકંઠ તો કૂદકો મારી કિનારા પર ઊતરી પડયા ત્યારે.

૯૬. “રીંછ નીલકંઠને ફાડી ખાશે.”

કોણ બોલે છે: જયરામ અને કૃષ્ણ તંબોળી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે એક કાળું ભયંકર રીંછ નીલકંઠ ભણી દોડી આવ્યું 'નીલકંઠ !" એમ બૂમ પાડતા તંબોળી અને જયરામ એક ઝાડ પર ચઢી ગયા ત્યારે.

૯૭. “વર્ણીરાજ ! રીંછ તમારી પાસે આવીને કેમ શાંત થઈ ગયો ? શા માટે રોતો હતો ? કોણ હતો એ ! તમને નમન કરીંને કેમ ચાલ્યો ગયો?”

કોણ બોલે છે: કૃષ્ણ તંબોળી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠે રીંછ સામે દ્રષ્ટિ કરીં. રીંછ શાંત થઈ ગયું બે પગે ઊભું થઈ નીલકંઠ પાસે આવ્યું વાંકું વળી નખું. રીંછની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં નીલકંઠે રીંછને ઊભું કર્યું, આશીર્વાદ આપી કહ્યું, 'હવે જાઓ" રીંછ ફરીંથી પગે લાગ્યું અને ઝાડીમાં અટ્ટશ્ય થઈ ગયું તંબોળી અને જયરામ ઝાડ પરથી નીચે ઊતર્યા અને ત્રણે સરોવરને કાંઠે આવ્યા તરાપા પર બેસી ગયા ત્યારે.

૯૮. “તેનું નામ જાંબુવાન. કૃષ્ણના સમયમાં તેણે કૃષ્ણની સેવા કરેલી પરંતુ મનમાં શંકા રહી ગયેલી તેથી ભટકયા કરતો હતો. આજે તેનું કલ્યાણ થયું આ રીંછ હવે આ દેહનો ત્યાગ કરીં દેશે મનુષ્યરૂપે સત્સંગમાં જન્મશે અમારો તેને યોગ થશે અને અક્ષરધામ પામશે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: કૃષ્ણ તંબોળીને

કયારે કહે છે: જયારે કૃષ્ણ તંબોળીએ નીલકંઠને પૂછયું કેવર્ણીરાજ ! રીંછ તમારી પાસે આવીને કેમ શાંત થઈ ગયો ? શા માટે રોતો હતો ? કોણ હતો એ ! તમને નમન કરીંને કેમ ચાલ્યો ગયો ત્યારે.

૯૯. “નીલકંઠ સાક્ષાતૂ કૃષ્ણ ભગવાન છે.”

કોણ બોલે છે: તંબોળી

કોને કહે છે: પોતાના કુટુંબીજનોને

કયારે કહે છે: જયારે જયરામે અને તબોળીએ પોતાના ફુટુંબીજનોને રીંછના ચમત્કારની

વાત કરી ત્યારે.

૨૫. નીલકંઠની શોધમાં

૧૦૦. “આપણી કાંઈ ભૂલ તો નહિ થઈ હોય ! નીલકંઠ આપણને રોતા મૂકીને શા માટે ચાલ્યા ગયા હશે?”

કોણ બોલે છે: ગામના સૌ લોકો

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે નીલકંઠ વિચાર્યુ જયરામદાસના પરિવાર અને રીંછનું કામ થઈ ગયું હતું. હવે તેમણે પ્રસ્થાન કરવું જોઇએ આથી નીલકંઠ જયરામદાસનું ઘર છોડી ચાલ્યા સવારે જયરામની માએ ઊઠી જોયું તો નીલકંઠ પથારીમાં ન મળે.સરોવર કાંઠે તપાસ કરાવી નીલકંઠ મળ્યા નહિ. જયરામ અને તેના બાપ ગામની ગલીએ ગલીમાં ફરી વળ્યા ચોરચૌટે બધે જોયું વનમાં જોયું વાડીમાં જોયું, પણ નીલકંઠ કયાંય ન મળ્યા ત્યારે.

૧૦૧. “જા, નીલકંઠ પ્રભુ જયાથી મળે ત્યાંથી તેને પાછા લઈ આવ તેમના વિના અમારાથી જીવાશે નહી. આપણી ભૂલ થઈ હોય તો માફી માગજે, પણ નીલકંઠને પાછા લઈ આવ નીલકંઠ તો આપણા ભગવાન છે.”

કોણ બોલે છે: જયરામ

કોને કહે છે: તેના માતા

કયારે કહે છે: જયરામનાં માતાપિતાને ખાવાનું ભાવે નહિ. ગામ આખું ઉદાસ થઈ ગયું હતું જયરામની માને કયાંય ગોઠતું નહોતું તેથી તેણે જયરામને તૈયાર કર્યો, ભાતું આપ્યું અને વાટખચીં આપીને મોકલતા સમયે.

૨૬. નીલકંઠનો પુન: મેળાપ

૧૦૨. “મહારાજ, અમારા અપરાધ માફ કરો કૃપાળુ, અમારી ભૂલ માફ કરો ચાલો, મારે ધરે પાછા ચાલો હવે હું તમને આગળ નહિજવા દઉં મારાં મા-બાપ કલ્પાત કરે છે તેમને ખાવાપીવાનું ભાવતું નથી,આખો દિવસ સેવા કરે છે ગામ આખું ઉદાસ થઈ ગયું છે મારી બહેનો અને કૃષ્ણ તંબોળી તો ગાંડા જેવાં થઈ ગયાં છે તમે જલદી ચાલો મારે ઘેર પાછા પધારો. હવે હું તમને નહિ મૂકું.”

કોણ બોલે છે: જયરામ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વીસ દિવસના સખત રઝળપાટ પછી જયરામને નીલકંઠ જગન્નાથપુરીમાં જડી ગયા ત્યારે.

૧૦૩. “જયરામ! તું અમારી સાથે ચાલ આપણે અહીંથી જગનાથપુરીની જાત્રાએ જવું છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જયરામને

કયારે કહે છે: જયારે જયરામે નીલકંઠવણીને ધરે પાછા આવવા વિનંતી કરી ત્યારે.

૨૭. નીલકંઠ જગનાથપુરીમાં

૧૦૪. “એય છોકરા ! અહીંથી લીલી ભાજી તોડી લાવ.”

કોણ બોલે છે: બાવાઓે

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: એક દિવસ નીલકંઠ ઈંદ્રદ્યુમ્નના સરોવરના કાંઠે નિત્યકર્મ કરીને ધ્યાનમાં બેઠા હતા ત્યારે.

૧૦૫. “તાંદળજાની લીલી ભાજી તોડો.”

કોણ બોલે છે: બાવો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે એક દિવસ નીલકંઠ ઈંદ્રદ્યુમ્નના સરોવરના કાંઠે નિત્યકર્મ કરીને ધ્યાનમાં બેઠા હતા ત્યારે બાવાએ નીલકંઠને તાંદળજાની ભાજી તોડવાનું કહ્યુ પણ નીલકંઠનો જીવ જ ન ચાલે ત્યારે.

૧૦૬. “એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બાવાને

કયારે કહે છે: જયારે બાવાએ નીલકંઠને તાડૂકી તાંદળજાની ભાજી તોડવાનું કહ્યુ ત્યારે.

૧૦૭. “બચાઓ, બચાઓ, નીલકંઠનો જાન જોખમમા છે.”

કોણ બોલે છે: જયરામ

કોને કહે છે: ગામના સૌ લોકોને

કયારે કહે છે: જયારે નીલકંઠને તાડૂકી તાંદળજાની ભાજી તોડવાનું કહ્યુ ત્યારે નીલકંઠે કહ્યું, 'એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ." આ સાંભળી બાવો ગુસ્સે થયો તે તાડૂકયો, તલવાર કાઢી નીલકંઠને મારવા ધસી આવ્યો તોય નીલકંઠ ડગ્યા નહિ તે તો શાંત અને સ્થિર બેઠ હતા. જયરામદાસ નીલકંઠની સેવામા હતો. તેણે ગભરાઈને બૂમરાણ કરી મૂકી આ કોલાહલથી બીજા બાવાઓ દોડીને આવ્યા નીલકંઠ પ્રત્યે તેમને ભાવ હતો. તેઓ નીલકંઠને બચાવવા સામા પડયા સામસામા બે પક્ષ પડી ગયા અને યુદ્વૈ ચડયા. રણશીંગા ફૂંકાયાં, ઢોલ-ત્રાંસાં ગગડચા સૌં અંદરોઅંદર મારવા લાગ્યા રમખાણ મચી ગયું ત્યારે.

૨૮. રતા બશિયાનું કલ્યાણ

૧૦૮. “પ્રભુ,મારું કલ્યાણ કરો બ્રાહ્મણના શાપથી મારી આ ગતિ થઈ છે.”

કોણ બોલે છે: રતો બશિયો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વનમાંથી ચાલ્યા વનમાં એક કંડીની વચમાં એક રાક્ષસ અજગરની જેમ પડયો હતા.નીલકંઠ ચાલતાં ચાલતાં રાક્ષસના માથા પાસે પહોંચ્યા પાસે જઈને રાક્ષસના માથામાં લાત મારી. રાક્ષસ તરત જ જાગ્યો ત્યારે.

૧૦૯. “જયારે કન્યા અને વર બેમાંથી એક પણ ભક્તિ અપંગ બને,ત્યારે..સગપણ તોડી નાખવાની છૂટ છે.”

કોણ બોલે છે: તેલંગ નો રાજા

કોને કહે છે: જયદેવ અને મુકુંદદેવને

કયારે કહે છે: જયારે જયદેવની એક વરસની દીકરી સાથે મુકુંદદેવના ત્રણ વરસના દીકરાનું સગપણ થયું દીકરી મોટી થઈ દીકરો પણ્ર મોટો થયો મુકુંદદેવના દીકરાને શીતળાનો રોગ થયો રોગમાં તે આંધળો થયો આથી દીકરીના બાપ જયદેવે મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી

નાખ્યું લૂગડાં-ધરણાં પાછાં મોકલી દીધાં. આથી મુકુંદદેવ ધુંઆપૂંઆ થતા રાજા પાસે ન્યાય કરાવવા આવ્યા ત્યારે.

૧૧૦. “શારત્ર કરતાંય ફુળધર્મ અને રીતિરિવાજ મહાન છે માટે તમે દીકરીના બાપનેકન્યા પરણાવવાનું કહો.”

કોણ બોલે છે: મુકુંદદેવ

કોને કહે છે: તેલંગના રાજાને

કયારે કહે છે: જયારે તેલંગના રાજાએ ન્યાય કરતાં કહ્યું કે જયારે કન્યા અને વર બેમાંથી એક પણ ભક્તિ અપંગ બને,ત્યારે સગપણ તોડી નાખવાની છૂટ છે ત્યારે.

૧૧૧. “જા, તું નવ મહિનામાં રાક્ષસ થઈ જઈશ.”

કોણ બોલે છે: મુકુંદેવ

કોને કહે છે: તેલંગના રાજાને

કયારે કહે છે: જયારે તેલંગના રાજાએ ન્યાય કરતાં સગપણ તોડી નાખવાની છૂટ આપી ત્યારે મુકુંદ દેવે રાજાને કહ્યું કે તમે દીકરીના બાપનેકન્યા પરણાવવાનું કહો પણ રાજાએ ના પાડી ત્યારે.

૧૧૨. “તેણે ભલે શાપ આપ્યો, પણ તમને સાક્ષાત ભગવાન નારાયણ મળશે તેમની સેવા મળશે અને ભગવાનનું ધામ મળશે.”

કોણ બોલે છે: જયદેવ

કોને કહે છે: તેલંગના રાજાને

કયારે કહે છે: જયારે મુંકુંદદેવે રાજાને શ્રાપ આપ્યો કે તું નવ મહિનામાં રાક્ષસ થઈ જઈશ ત્યારે.

૧૧૩. “મારાં ધરડાં માં-બાપ અને બહેનોનું હું પાલનપોષણ કરું છું મારી બહેનોનું સગપણ નક્કી કરવા જાઉં છું માટે તું મને છોડી દે. જો તું મને નહિ છોડે, તો તું અજગરની જેમ અહી જડ થઈને પડી રહીશ.”

કોણ બોલે છે: એક બ્રાહ્યણ યુવાનને

કોને કહે છે: રતા બશિયાને

કયારે કહે છે: જયારે રાક્ષસ થઇન રતો બશિયો પશુપક્ષી જે હાથમાં આવે તેનો આહાર કરતો હતો એક વખત સાત દિવસ સુધી આહાર મળ્યો નહિ. તેવામાં એક બ્રાહ્મણનો યુવાન પુત્ર વનમાંથી જતો હતો. તેને રાક્ષસે પકડચો. અને તેનો આહાર કરવા જતો હતો ત્યારે.

૧૧૪. “જા, તારો મોક્ષ થશે તનેકાઠિયાવાડમા ફરી જેન્પ મળશે મારો સમાગમ મળશે સેવા મળશે તારુંઆત્યંતિક કલ્યાણ થશે મારું અક્ષરધામ પળશે.<

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રતા બશિયાનેે

કયારે કહે છે: જયારે રાક્ષસ નીલકંઠનાં ચરણોમાં નમી પડચો ત્યારે.

૩૦. કૃતઘ્ની સેવકરામ

૧૧૫. “કાંઈ ચિંતા રાખશો મા, અને તમારી ચાકરી કરીશું.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સેવકરામને

કયારે કહે છે: સેવકરામ માંદો પડચો. તેને મરડો થઈ ગયો વારંવાર ઝાડે જવું પડે ઝાડામાં લોહી પડે પીડા બહુ થાય ચલાય પણ નહિ આથી તે રોવા લાગ્યો મૂંઝાયો ત્યારે.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...